વાઢિયાર પરગણાના હારીજમાં રઘુવંશી ભગવાન શ્રી રામના વંશજ એવા લોહાણા સમાજ દ્વારા 7 જાન્યુઆરીએ કાર્યક્રમ યોજાશે, જ્યાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર સમાજના મહાનુભવોનું સન્માન પણ કરવામાં આવસે.
વઢિયાર પરગણા લોહાણા મહાજન દ્વારા “વઢિયાર-વંદના” સ્નેહમિલન સમારોહ નું સમગ્ર વઢિયારના 180થી વધુ ગામોના લોહાણા સમાજનો સ્નેહમિલન સમારોહ આગામી રવિવારે હારીજના જલારામ મંદિર ખાતે મહંત શ્રી જાનકીદાસજીબાપુ, ગુરૂશ્રી દ્વારકાદાસજી મહારાજ ઉપસ્થિતમાં યોજાશે, વિવિધ ક્ષેત્ર સિદ્ધિ મેળવનાર સમાજના મહાનુભવોનું સન્માન કરવામાં આવશે. રવિવારે દિવસભર અલગ અલગ કાર્યક્રમો યોજાશે.
શ્રી વઢીયાર પરગણા લોહાણા મહાજન “વઢીયાર વંદના’ સ્નેહમિલન સમારોહ હારીજના જલારામ મંદિર ખાતે આગામી રવિવારના રોજ યોજાશે. જેમાં વર્ગ એકના અધિકારીઓનું સન્માન, વઢીયારના મરણોપરાંત વડીલોનું સન્માન, સમગ્ર ઉત્તર ગુજ. દેશી લોહાણા મહાનુભાવોનું સન્માન, વર્ગ-2 ના અધિકારીઓનું સન્માન કાર્યક્રમ યોજવાનો છે.એમ
વિવિધ ક્ષેત્રે વઢીયાર ગૌરવ પુરષ્કારથી મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવશે. તેમજ દીકરી વ્હાલનો દરિયો અંર્તગત માં બાપ અને દીકરીનું સન્માન કરવામાં આવશે.
પ્રમુખ હિતેશભાઈએ ડિજિટલ આમંત્રણ પણ આપ્યું છે





