December 9, 2025 12:07 pm

આજથી અંબાજીમાં 2 મંગળા આરતી, જાણો કારણ

શક્તિ ભક્તિ અને અસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. આજે બીજું નોરતું છે ત્યારે આજથી ઝવેરા આરતીનો પ્રારંભ થયો હતો. અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોનો ધસારો જોવા મળ્યો છે. મંદિરમાં આજ સવારે 2 મંગળા આરતી કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં વહેલી સવારે ગર્ભગૃહમાં આરતી પૂર્ણ થયા બાદ માતાજીના વાઘ પાસે ઝવેરા આરતી કરવામાં આવી હતી. નવરાત્રી બીજથી આઠમ સુધી રોજ સવારે બે મંગળા આરતી કરવામાં આવે છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવે છે. એક આરતી ગર્ભગૃહની અંદર અને બીજી આરતી માતાજીના વાઘની પાસે કરવામાં આવે છે. આ આરતીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

Source link

Share this post:

Leave a Comment

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल