February 19, 2026 4:23 am

અંબાજી જતા પદયાત્રીઓએ માટે ઉત્તમ સુવિધા

અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પો સેવાની સરવાણી વહાવે છે. દાંતા રતનપુર ખાતે જય જલિયાણ સેવા કેમ્પ સતત 24 કલાક પદયાત્રીકોને સેવા આપે છે. પદયાત્રીકોને મિષ્ઠાન, ભોજન, આરામની ઉત્તમ સુવિધા અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. છેલ્લા 16 વર… વધુ વાંચો Source link

હોર્ડિંગ્સ બન્યા છત્રી, પદયાત્રીઓએ વરસાદથી બચવા વાપર્યો અનોખો કીમિયો

હાલ ભાદરવી પૂનમ ભરવા મોટી સંખ્યામાં લોકો અંબાજી આવી રહ્યા છે. બુધવારે અચાનક વરસાદ પડતા પદયાત્રિઓએ વરસાદથી બચવા અનોખો કીમિયો કર્યો હતો. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લગાવેલા હોર્ડિંગ્સનો ઉપયોગ પદયાત્રીઓએ વરસાદથી બચવા કર્યા હતો. Source link

આ ભાઈના સેવાકાર્યને પોલીસે બિરદાવ્યું, વૃદ્ધોએ અને દિવ્યાંગોએ આપ્યા આશીર્વાદ, જાણો એવું તો શું કર્યું?

Banaskantha: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો શરૂ થઈ ગયો છે. જગતજનની મા અંબેના ભક્તોનો અવિરત પ્રવાહ દર્શનાર્થે ઊમટી રહ્યો છે. આ મેળાના વ્યવસ્થાપન માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ કરવામાં આવી છે. મેળામાં સઘન સુરક્ષા માટે પોલીસ વિભાગનો 6500 જેટલો સ્ટાફ તૈનાત છે … Read more

Bhadarvi Poonam 2023: પદયાત્રીઓની ચાની ચાહ પૂરી કરતું કેમ્પ, 39 વર્ષથી ચાલે છે અવિરત સેવા

Banaskantha: આદ્યશક્તિ મા અંબેની આરાધના માટે તેમજ ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી લાખો શ્રધ્ધાળુઓ પગપાળા ચાલીને આવે છે. જગતજનની માતા અંબેના અનેક ભક્તો પદયાત્રીઓ માટે વિવિધ સેવા કરતા હોય છે. પગપાળા પ્રયાણ કરતા પદયાત્રીઓ માટે ઘણા સેવા કેમ્પ પણ કાર્યરત છે, ત્યારે ITIના કર્મચારીઓ દ્વારા એક અનોખો સેવાકેમ્પ યોજવામાં આવે છે. 39 વર્ષથી અવિરત ચાલતો અનોખો સેવા કેમ્પ … Read more

સૌથી મોટી ધજા લઈ જવાનો નિયમ, 18 વર્ષે પણ અડીખમ! સેવા અને શ્રદ્ધાનો સમન્વય એટલે આ ગ્રુપ

Banaskantha: ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતા માર્ગો પદયાત્રીઓ અને સેવા કેન્દ્ર ઊભરાઈ જતા હોય છે, અનેક સેવા કેમ્પો માનવતાની મહેક પ્રસરાવે છે. અંબાજી ખાતે પદયાત્રા સંઘનો જમાવડો જામ્યો છે. આ પૈકી જય અંબે મિત્ર મંડળ પણ છેલ્લા 18 વર્ષથી પોતાની સેવા આપી રહ્યું છે. 18 વર્ષથી પાલનપુરના કોજી વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા સેવા કેમ્પનું આયોજન … Read more

આકર્ષણનું કેન્દ્ર બની ડિજિટલ ધજા, વધારશે અંબાજી મંદિરના શિખરની શોભા

શક્તિપીઠના હૃદયસમા અંબાજીમાં પદયાત્રીઓ તેમજ સંઘો વિવિધ ધજાઓ લઈને માતાના ચરણોમાં અર્પણ કરી રહ્યા છે, ત્યારે વઢવાણના જય અંબે પગપાળા યાત્રા સંઘ દ્વારા 7 મીટર લાંબી ડિજિટલ ધજા ચઢાવવામાં આવી હતી. આ ધજા આકર્ષણનું કેન્દ્ર બની છે. Source link

અંબાજીમાં પોલીસની કામગીરીની માઈભક્તોએ કરી પ્રશંસા

અંબાજીમાં ભાદરવી પૂનમને લઈને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ભક્તિ માતાજીની આરાધનામાં ઝૂમી ઉઠયા છે ત્યારે પોલીસ પણ ઝૂમી ઉઠી હતી. વ્યવસ્થા જાળવવા પોલીસ ખડેપગે કાર્ય કરી રહી છે. ભક્તોના બાળકોની પણ પોલીસ સંભાળ રાખી રહી છે. ભક્તોને કોઈ તકલીફ ન પડે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. Source link

હવા, પાણી અને ખોરાક બાદ, પદયાત્રીઓને સૌથી મહત્વની વસ્તુ પૂરી પાડે છે આ સેવા કેમ્પ

Banaskantha: અરવલ્લીની ગિરિમાળા વચ્ચે બિરાજમાન આદ્યશક્તિ મા અંબાના ભાદરવી પૂનમના મહામેળા સમગ્ર ભારતભરમાંથી પદયાત્રી પદયાત્રા કરી મા અંબાના દર્શન કરવા આવે છે. પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન સર્જાય, તે માટે અનેક સેવા કેમ્પ દ્વારા અનોખી સેવા કરવામાં આવે છે. દાંતા-અંબાજી માર્ગ ઉપર પદયાત્રીઓને નેટવર્ક ઇસ્યુ થતા હોય છે તેમજ પદયાત્રીઓના મોબાઈલ ફોન પણ ડિસ્ચાર્જ થઈ જતા … Read more

મહામેળામાં ઊભરાયું માનવ મહેરામણ , દાન, સેવા અને ભક્તોનો આંકડો જાણી થઈ જશો દંગ

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ભરવા લાખોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. આશરે 35થી 40 લાખ શ્રદ્ધાળુઓનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. મેળાના પ્રથમ 6 દિવસમાં યાત્રાધામ ખાતે આવેલા ભક્તો, પ્રસાદનું વિતરણ, સેવા કેમ્પોમાં થયેલી સારવાર, માતાજીના ચરણોમાં થયેલું સોનાનું દાન તેમજ માતાજીને ચઢાવવામાં આવેલી ધજાના કુલ આંકડા સામે આવ્યા છે. Source link

અંબાજીમાં મોહનથાળ બનાવતી એજન્સીનું ઘી અખાદ્ય નીકળ્યું

યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઘીના નમૂના ફેઈલ થયા છે. ભાદરવી પૂનમના મેળા માટે મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે મોટી માત્રામાં ઘી મંગાવાયું હતું. જો કે, એમાંથી મોહનથાળ બને એ પહેલા 28 ઓગસ્ટે ફૂડ વિભાગે ઘીના નમૂના લીધા હતા. મોહનથાળનો પ્રસાદ બનાવતી મોહિની કેટરસમાંથી સેમ્પલ… વધુ વાંચો Source link