February 19, 2026 2:05 am

અંબાજીના મેળે જતા પદયાત્રી માટે 5 સ્ટાર સુવિધા સાથે શરુ થયા કેમ્પ

ભાદરવી પૂનમના મેળાને લઈને બનાસકાંઠામાં ધમધમતા થયા કેમ્પ… પદયાત્રીઓ માટે બનાવાયા ફાઈવ સ્ટાર હોટલને ટક્કર મારે તેવા કેમ્પ. આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે અને હાલથી બનાસકાંઠાના અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. 23થી 29 સપ્ટેમ્બર સુધી અહીં મેળાનુ આયોજન કરાયું છે. જેને લઈન… વધુ વાંચો Source link

આજથી બોલ માડી અંબેનો ગૂંજશે નાદ, ભક્તોમાં અનેરો ઉત્સાહ

આજથી અંબાજીમાં ભજન-ભોજન અને ભક્તિનો સર્જાશે ત્રિવેણી સંગમ. જય અંબેના નાદથી ગુંજી ઉઠશે અંબાજી. અંબાજીમાં ગુંજશે બોલ માંડી જય જય અંબેના નાદ… જય માતાજીના ગગનભેદી નારા ગુંજતા રહેશે અને રોડ ભક્તોથી ઉભરાશે. અંબાજી બની જશે ભક્તિમય..જેની આત્તુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ઘડી આવી ગઈ છે. અંબાજીમાં આવતીકાલથી ભ… વધુ વાંચો Source link

હે! અંબાજીમાં બસના 2 ટૂકડા થઈ ગયા

અંબાજી હડાદ માર્ગ પર ગમખ્વાર અકસ્માત બાદ બસના બે ટુકડા થયા છે. જેમાં 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. અકસ્માતની ઘટના જાણીએ એ પહેલા આ ડરામણા દ્રશ્યો જુઓ. ચોતરફ અફરા-તફરીનો માહોલ છે અને આ માહોલ વચ્ચે સામે આવ્યા અકસ્માત બાદની બસના ભયાનક દ્રશ્યો. ખાનગી બસ પલટી જતા આ દૂર્ઘટના સર્જાઈ હતી. જેમાં બસનો ઉપલો આખો માળ … Read more

ATMમાંથી રૂપિયા નીકળે એમ અંબાજીનો પ્રસાદ મળશે

QR કોડ સર્ચ કરી ઓનલાઈન પેમેન્ટ કરો એટલે તરત જ મા અંબાના પ્રસાદનું પેકેટ મળી જશે. આ અદભૂત વેન્ડિંગ મશીન હાલ ભાદરવી પૂનમના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં તમે જોઈ શકો છો કે જેવા કોઈ ભક્ત QR કોડ સર્ચ કરે એટલે તરત જ આ રીતે એક બોક્સ અલગ થાય છે અને આ ડ્રોઅર નીચે … Read more

મા અંબાના ધામનો માણવા લાયક નજારો, જોઈને ભક્તિમય બની જશો

ભાદરવી પૂનમના મેળાનો અદભૂત નજારો કેમેરામાં કેદ થયો છે. હાલમાં શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ધૂમ મચાવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ 2 દિવસમાં 7.43 લાખ શ્રદ્ધાળુ અંબાજી ખાતે ઉમટ્યા હતા. તેમજ 2.16 લાખ પ્રસાદના પેકેટનું વેચાણ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે શિખરે 332 ધજાઓ ચઢાવામાં આવી હતી. જુઓ … વધુ વાંચો Source link

અંબાજીમાં એક જ દિવસમાં પોણા કરોડનું દાન

દાંતા-અંબાજીના ડુંગરાઓમાં ભાદરવી મહામેળાની શાનદાર જમાવટ જામી છે. મેળાના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. અંબાજી દુર હૈ… જાના જરૂર હૈ….બોલ માંડી અંબે, જય જય અંબે…. જય માતાજીના નાદથી અંબાજીનું આકાશ ગુંજી રહ્યું છે. અંબાજી તરફના માર્ગો પર ભોજન-ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. દૂર-દૂરથી યાત્રિકો ‘બોલ મારી અંબે જય જય અંબે’ના પ્રચંડ … Read more

શ્રદ્ધાનો વિષય! આઝાદી સમયનો સંઘ પહોંચ્યો અંબાજી

આજે ભાદરવી પૂનમના મેળાનો ચોથો દિવસ છે. ત્રણ દિવસમાં 13.50 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરમાં દર્શન કરી ચુક્યા છે. પોલીસના લોખંડી બંદોબસ્ત સાથે ભાદરવીપૂનમના મેળામાં પદયાત્રીઓનો પ્રવાહ અવિરત અંબાજી પહોંચી રહ્યો છે ત્યારે ભારત દેશની આઝાદી પહેલાથી ચાલતો લાલડંડાનો પગપાળા સંઘ અમદાવાદથી અંબાજી પહોંચ્યો છે. આ સંઘ દ્વારા માં અંબાના શિખરે 52 ગજની ધજા અર્પણ … Read more

સેવાની સરવાણી વહાવતો સેવાભાવી કેમ્પ, અંબાજી આવતા પદયાત્રિકો માટે 250 જેટલાં સ્વયંસેવકો ખડેપગે

બનાસકાંઠા: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્વ છે. ફક્ત ગુજરાતમાંથી જ નહીં, પરંતુ દેશભરમાં ભરાતા મોટા મેળાઓમાં અંબાજી ખાતે ભરાતા ભાદરવી પૂનમના મેળાની ગણના થાય છે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અંબા માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પગપાળા યાત્રિકો અને સંઘો વધુ પ્રમાણમાં આવતા અંબાજી ખાતે આવે છે, તેથી અંબાજીને જોડતા માર્ગ પર માનવ મહેરામણ … Read more

અંબાજી મંદિર: માં એ સજ્યો સોળે શણગાર

ભાદરવી પૂનમના મહમેળાને લઈને અંબાજી મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે, મંદિરના ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈ છે. માં અંબાના ધામમાં અદ્દભૂત નજારો જોવા મળી રહ્યો છે. સુવર્ણ મંડીત માતાજીનું મંદિર અવનવી રોશનીના શણગારથી દેદીપ્યમાન બન્યું છે, જેને લઈને મંદિરનો ઑલોકિત નજારો જોઈ ભક્તો આનંદિત થઈ ઉઠ્યા છે. રાત્રિ સમયે આ નજારાના … Read more

હવે માડીના દર્શન થયા વધારે સુલભ, મા અંબાની સમીપ હોવાનો અનુભવ કરાવશે આ ટેક્નોલોજી

07 VR Liveના ફાઉન્ડર અર્થ અને આયુષીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમવાર અંબાજી ખાતે માઈભક્તો સમગ્ર અંબાજીનો દર્શનનો લાભ લઈ શકે, તે માટે વર્ચ્યુઅલ રિયાલિટી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે, જેના માધ્યમથી ભક્તો 51 શક્તિપીઠના મૂળ 10 મંદિર, માતાજીની આરતી, માતાજીની અખંડ જ્યોત, ઝૂલો અને માતાજીના રથનો સાક્ષાત્કાર કરી શકે છે. Source link